શિવસેનાના સવાલના જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા બિલને ટેકો નહીં: ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘શિવસેનાના સવાલ બાબતે સ્પષ્ટ જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા ખરડાને રાજ્યસભામાં સમર્થન આપવામાં નહીં આવે. એ ખરડાની વિગતવાર ચર્ચા જરૂરી છે. મોદી સરકારે નાગરિકતા ખરડાના અમલની મથામણને બદલે અર્થતંત્ર, રોજગારીની સમસ્યા, જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ, કાંદાના વધતા ભાવ જેવા મુદ્દાની ચિંતા કરવી જોઈએ. આ ખરડાને અને બીજેપીને સમર્થન આપે તે દેશભક્ત અને એનો વિરોધ કરનારા રાષ્ટ્રવિરોધી હોવાની ઊભી કરવામાં આવેલી ધારણાને આપણે બદલવી અનિવાર્ય છે.’
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
બુધવારે રાજ્યસભામાં CAB Bill રજુ થશે
નાગરિકતા સંશોધન વિધેયક 2019 આજે રાજ્યસભામાં રજૂ થશે. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું હતું. આ બિલને ગૃહમંત્રી અમિત શાહ બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રજૂ કરશે. લોકસભામાં સાત કલાક સુધીની ચર્ચા બાદ, વિધેયકને 80ની તુલનામાં 311 મતના બહુમત સાથે પાસ કરવામાં આવ્યો. આ દરમિયાન 391 સભ્ય હાજર હતા. રાજ્યસભામાં કુલ 245 સાંસદ હોય છે, પણ હાલની સંખ્યા 240 છે. એવામાં બિલ પાસ કરાવવા માટે સરકારને 121 સાસંદોનું સમર્થન જોઇશે.