Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને ભર રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઇએ : ચિરંજીવી

હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને ભર રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઇએ : ચિરંજીવી

02 December, 2019 12:50 PM IST | Hyderabad

હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને ભર રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઇએ : ચિરંજીવી

ચિરંજીવી

ચિરંજીવી


(જી.એન.એસ.) હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગૅન્ગરેપ કરવાની અને ત્યાર બાદ તેને સળગાવી દેવાની ઘટના વિશેનો આક્રોશ સ્પષ્ટ દેખાય છે. બૉલીવુડના સેલેબથી લઈને રાજકારણીઓ સુધીના દરેક લોકો આ સંદર્ભે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ પણ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

તેણે એક વિડિયો-સંદેશમાં કહ્યું કે ‘આ પ્રશંસાની વાત છે કે ટૂંક સમયમાં જ આ ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. હવે તેમને ભર રસ્તા પર ફાંસી આપવી એ એકદમ સાચી રીત છે. આવા લોકોમાં ડર પેદા કરવા માટે જ આવું કરવું જોઈએ એવું લોકો વિચારે છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બનેલી છોકરીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ હૃદયસ્પર્શી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

દેશમાં છોકરીઓ માટે અસલામતી અને ભયનો માહોલ છે. એવું લાગી રહ્યું છે જાણે આપણે પુરુષરાક્ષસો વચ્ચે જીવી રહ્યા છીએ. એક પિતા તરીકે હું આ ઘટનાઓને ધ્યાનમાં આવે ત્યારે એની પ્રતિક્રિયા આપું છું. જે લોકો આ પ્રકારના ગુના કરે છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેમની વચ્ચે ભય ફેલાવવો જોઈએ. તેમને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. આવા ગુનેગારોને વહેલી તકે પકડવા જોઈએ એ ખૂબ મહત્ત્વનું છે. જોકે તેમને વહેલી તકે સજા થવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2019 12:50 PM IST | Hyderabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK