Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં

કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં

20 September, 2020 05:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત બગડતા તે દિલ્હીની એક હૉસ્પિટલમાં એડમિટ થયા હોવાનું તેમના પુત્ર લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું છે. ચિરાગ પાસવાને બિહારમાં ન આવી શકવાનું કારણ આપ્યું જેમાં આ વાત સામે આવી હતી. પિતા હંમેશા મને બિહાર જવાની સલાહ આપે છે પણ તેમની તબિયતને જોતા આ શક્ય નથી, એમ પણ તેણે કહ્યું હતું.

રામવિલાસ પાસવાન 24 ઑગસ્ટથી દિલ્હીની એક હૉસ્પિટલમાં એડમિટ છે. રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત બગડતા હવે ICUમાં છે.



બિહારની રાજનીતિ બાબતે ચિરાગ પાસવાને કહ્યું કે, એનડીએ સાથે સીટ બાબતે કે બિહારના ભવિષ્ય માટે કોઈ પણ વાતચીત થઈ નથી. એનડીએમાં સીટને લઈને ઘણી અટકળો છે. હાલ બિહાર સરકાર જે સાત નિશ્ચય કાર્યક્રમ સાથે કામ કરી રહી છે તે એનડીએનો એજન્ડા નથી.  


ચિરાગ પાસવાને લખેલા ઓપન લેટરમાં આશા વ્યક્ત કરી કે પિતા જલદી જ ઠીક થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK