તમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ
પ્રતીકાત્મક તસવીર
તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, ધોરણ ૯, ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં વાર્ષિક કે બોર્ડની પરીક્ષાઓ વિના પાસ જાહેર કરી દેવાશે.
વિધાનસભામાં આ જાહેરાત કરતાં પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તથા શિક્ષણ નિષ્ણાતોના મંતવ્ય તથા વાલીઓની અપીલ અંગે વિચારણા કરીને ધોરણ-૯, ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓની વાર્ષિક શાળા કે બોર્ડની પરીક્ષા લીધા વિના તમામને પાસ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓના માર્ક્સની ગણતરી કરવા માટે વિગતવાર નિયમો જાહેર કરશે.