કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે આજે અમદાવાદમાં છે. તેઓ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે પણ તે અમદાવાદમાં જ રહ્યા જેથી ઉત્તરાણ પરિવાર સાથે ઉજવવાની પરંપરા તુટે નહીં. તેમણે પોતાની પતંગ ચગાવવા માટે થલતેજના મેપલ ટ્રી ફ્લેટના PME-બ્લોકની પસંદગી કરી. અહીં સમર્થકો અને સ્થાનિકોનો ભેગા થયા હતા. લોકોની શુભેચ્છાઓ બદલ તેમણે આભાર માન્યો હતો. અમિત શાહ થલતેજ પછી ઘાટલોડિયાના અર્જુન ટાવર જવાના હતા પણ તેમણે આ યોજના ટાળી. ગયા વર્ષે 2020માં અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે.
Gujarat: Union Home Minister Amit Shah takes part in a Makar Sakranti program in Ahmedabad and flies a kite pic.twitter.com/EGDjxgbRy9
— ANI (@ANI) January 14, 2021
દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉત્તરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ગયા નથી. તેઓ થલતેજ અને ઘાટલોડિયા ખાતે ગણતરીના પરિવારના નિકટના મિત્રો સાથે જ ઉતરાયણનો આનંદ માણશે એમ લાગી રહ્યું છે.
ગર્વ કરો આ ગુજરાતી ગર્લ પર
5th January, 2021 08:09 ISTઅમિત શાહે ખેડૂતો સાથે મંત્રણામાં જોડાનાર ૩ પ્રધાનો સાથે રણનીતિ તૈયાર કરી
30th December, 2020 15:01 ISTદિલ્હીના સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું અમિત શાહે
29th December, 2020 15:21 ISTઅમિત શાહે કર્યું અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ, સૌરવ ગાંગુલી પણ હાજર
28th December, 2020 14:00 IST