ઠંડી વધતા વકર્યો સ્વાઈન ફ્લૂ, રાજકોટમાં 24 કલાકમાં બેનાં મોત
સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર
ઠંડી વધતાની સાથે જ સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં સ્વાઈન ફ્લૂ કારણે સારવાર દરમિયાન બે વૃદ્ધના મોત થયા છે. જૂનાગઢના વૃદ્ધા અને રાજકોટના એક વૃદ્ધનું રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે હાલ 11 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. આ સિઝનનો કુલ મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં કુલ 42નાં મોત થઈ ચુક્યા છે.