Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારા દીકરાને પણ જીવતો સળગાવી દો : આરોપીની માતા

મારા દીકરાને પણ જીવતો સળગાવી દો : આરોપીની માતા

02 December, 2019 01:12 PM IST | Hyderabad

મારા દીકરાને પણ જીવતો સળગાવી દો : આરોપીની માતા

હૈદરાબાદ ગેંગ રેપ કેસ (PC : IANS)

હૈદરાબાદ ગેંગ રેપ કેસ (PC : IANS)


(જી.એન.એસ.) હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર પરના નિર્મમ રેપ અને હત્યાકાંડના આરોપીઓના પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે ‘અમારા દીકરાઓને જો મોતની સજા કરવામાં આવે તો અમે વિરોધ નહીં કરીએ.’ એક આરોપીની માતાએ એવું પણ કહ્યું છે કે જેવું પીડિતા સાથે કરવામાં આવ્યું છે એવી જ રીતે આરોપીઓને પણ સળગાવી દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના આ કાંડે આખા દેશને હચમચાવી દીધો છે. રસ્તાથી લઈને સોશ્યલ મીડિયા સુધી પીડિતા ડૉક્ટરના હત્યારાને સખતમાં સખત સજાની માગણી ઊઠી છે.

આ ઘટનામાં એક આરોપી સી. કેશવુલુ નારાયણપેટે જિલ્લાના મકઠલ મંડળના ગુડીગાંડલા ગામનો રહેવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું કે ‘મારા દીકરાને ફાંસી આપી દો અથવા સળગાવી દો. જેવી રીતે એ લોકોએ મહિલા ડૉક્ટર સાથે કર્યું, તેનો રેપ કર્યા પછી, એવું તેમની સાથે કરો. મારી પણ એક દીકરી છે અને મને ખબર છે કે મહિલાનો પરિવાર દર્દમાંથી પસાર થઈ રહ્યો છે. જો આની ખબર હોવા છતાં કે મારા દીકરાએ અપરાધ કર્યો છે. હું તેનો બચાવ કરું તો લોકો મને આખી જિંદગી નફરત કરશે.’

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

શ્યામલાએ જણાવ્યું કે ગુરુવારની સવારે જ્યારે પોલીસ મારા દીકરાને પૂછપરછ માટે લઈ ગઈ તો મારા પતિએ હતાશ થઈને ઘર છોડી દીધું. કેશવુલુનાં લગ્ન પાંચ મહિના પહેલાં થયાં હતાં. અમે તેની પસંદગીની છોકરી સાથે તેનાં લગ્ન કરાવ્યાં હતાં. ઘર પર ક્યારેય કોઈ દબાણ નથી નાખ્યું, કેમ કે તેને કિડનીની બીમારી હતી. અમે તેને દર ૬ મહિને સારવાર માટે હૈદરાબાદની નીમ્સ હૉસ્પિટલ લઈ જઈએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2019 01:12 PM IST | Hyderabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK