Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગૌશાળા પર ફરી વળ્યું બુલડોઝરઃ બે ગાય જખમી થઈ અને ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ

ગૌશાળા પર ફરી વળ્યું બુલડોઝરઃ બે ગાય જખમી થઈ અને ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ

11 December, 2019 01:21 PM IST | Mumbai

ગૌશાળા પર ફરી વળ્યું બુલડોઝરઃ બે ગાય જખમી થઈ અને ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ

File Photo

File Photo


(‌મિડ-ડે પ્ર‌તિ‌નિ‌ધિ) ભાઈંદર-ઈસ્ટમાં એનએનપી પાર્કમાં સીઆરઝેડ બા‌ધિત જગ્યા પર બાંધેલી ગૌશાળા પર મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાએ બુલડોઝર ‌‌ફેરવીને ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ કાર્યવાહી દર‌મ્યાન બે ગાય જખમી થઈ હોવાની સાથે ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ છે. ભાઈંદર-ઈસ્ટમાં આવેલા આરએનપી વિસ્તારમાં સીઆરઝેડ બા‌ધિત અને મૅન્ગ્રોવ્ઝ ધરાવતી જગ્યા પર અમુક મ‌હિના પહેલાં ગેરકાયદે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ ‌વિશે અનેક ફ‌રિયાદ મળ્યા છતાં એના પર કાર્યવાહી થઈ રહી ન હોતી.

ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત સ‌હિત બધા પ્રભાગ સ‌મિતિના અ‌ધિકારી અને કર્મચારીઓ સ‌હિત બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી હતી. બુલડોઝરની મદદથી બાંધકામ જમીનદોસ્ત કરાયું હતું. આ જગ્યાએ એક સંસ્થાની ગૌશાળા હતી અને એમાં ૧૯ ગાય હતી. એમાંની બે ગાય જખમી થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ હતી, પરંતુ આ કાર્યવાહી બાદ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાએ વેગ પકડ્યું હતું અને કાર્યવાહીને ધા‌ર્મિક મુદ્દો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાના ક‌મિશનર બાલાજી ખતગાવકરના કહેવા અનુસાર ‘સંબં‌ધિત ‌વિભાગની બેઠકમાં થયેલા ‌નિર્ણય બાદ કાર્યવાહી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 01:21 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK