સામાન્ય માણસોને પોસાય એ ભાવે મુંબઈ શહેરમાં ફ્લૅટ લેવાનું સ્વપ્ન હવે સ્વપ્ન જ બની રહેશે. મુંબઈના પોશ ગણાતા પરેલ, માહિમ, દાદર તથા અન્ય વિસ્તારોમાં ૧૨ બિલ્ડરોએ ૩૩ બિલ્ડિંગો બાંધ્યાં હતાં.
વરુણ સિંહ
મુંબઈ, તા. ૨૦
નિયમ મુજબ આ તમામ બિલ્ડિંગો મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી)ના નિયમ મુજબ જર્જરિત બિલ્ડિંગોને તોડીને બનાવવામાં આવ્યાં હતાં એટલે એક ભાગ પોતાની પાસે રાખી અન્ય બે ભાગ મ્હાડાને આપવાના હતા, પરંતુ આ બિલ્ડરોએ એના મૂળ રહેવાસીઓને આપવાને બદલે આ તમામ બિલ્ડિંગો બારોબાર વેચી માયાર઼્ છે. મ્હાડાના વાઇસ પ્રેસિડન્ટ સતીશ ગવઈએ આ વિશે મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકને ફરિયાદ કરતાં ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે બિલ્ડરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મ્હાડાના નિયમ પ્રમાણે ૫૦૦ જેટલા ફ્લૅટો મ્હાડાની સંપત્તિ છે, જે બિલ્ડરોએ બારોબાર વેચી માર્યા છે. અત્યારે આ વિસ્તારમાં ફ્લૅટોની માર્કેટ વૅલ્યુ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ છે. જોકે આ ગુનામાં સંડાવાયેલા બિલ્ડરોનાં નામોની યાદી મ્હાડા તેમ જ પોલીસ-સ્ટેશન દ્વારા જાહેર કરવામાં નથી આવી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK