BSNL અને MTNLના કસ્ટમરોના રોમિંગ ચાર્જ દૂર થશે
ADVERTISEMENT
હાલમાં દિલ્હી સિવાયના નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં BSNLના કસ્ટમરો પાસેથી રોમિંગ ચાર્જ લઈ શકાતો હોવા છતાં આ ચાર્જ લેવામાં નથી આવતો અને ભવિષ્યમાં આખા દેશમાં આ રીતે ફ્રી રોમિંગ કરવાની યોજના છે. BSNLના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર આર. કે. ઉપાધ્યાયે કહ્યું હતું કે કૉર્પોરેટ કસ્ટમરો માટે જૉઇન્ટ સર્વિસ આપવા માટે BSNL અને MTNL વચ્ચે કરાર કરવામાં આવ્યા છે અને આવા કસ્ટમરોને પણ ઘણી નવી સુવિધા ઓછા દરે આપવામાં આવશે.