જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગોળીબાર
શ્રીનગર : તા, 17 નવેમ્બર
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નિવાસસ્થાને તૈનાત સુરક્ષા જવાને ઓટોમેટિક રાઈફલમાંથી દુર્ઘટનાવશ ગોળી ચલાવી દીધી હતી. ઓળખ કર્યા બાદ જવાનની પાસેથી હથિયાર લઈ લેવામાં આવ્યું હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ભૂલથી થયેલા ગોળીબાર બાદ મુખ્યમંત્રીના ઘર પર હુમલો થયો હોવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે અતિ સુરક્ષીત મનાતા ગુપકર માર્ગ વિસ્તારમાં થોડા સમય માટે તણાવ ફેલાયો હતો.
ઉમર અબ્દુલ્લાએ ઘટના બાદ ટ્વીટ કર્યું હતું કે, શ્રીનગર સ્થિત મારા ઘર પર તૈનાત બીએસએફના જવાન દ્વારા ગોળીબારની ઘટના ઘટવા છતાં મને મારી સુરક્ષા ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે.