Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોગેશ્વરી યાર્ડમાં ટ્રેન પર ચડીને સેલ્ફી લેવા જતાં દાઝનાર યુવકનું મોત

જોગેશ્વરી યાર્ડમાં ટ્રેન પર ચડીને સેલ્ફી લેવા જતાં દાઝનાર યુવકનું મોત

21 April, 2019 12:29 PM IST |

જોગેશ્વરી યાર્ડમાં ટ્રેન પર ચડીને સેલ્ફી લેવા જતાં દાઝનાર યુવકનું મોત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


રામ મંદિર રેલવે સ્ટેશન પાસેના એક મેદાનમાં મિત્રો સાથે ક્રિક્રેટ રમીને પાછો ફરી રહ્યો હતો ત્યારે જોગેશ્વરી રેલવે યાર્ડમાં ઊભેલી ટ્રેનનાં છાપરાં પર ચડીને સેલ્ફી લેવાની કોશિશ કરતાં મલાડના માલવણી વિસ્તારમાં રહેતો ૧૪ વર્ષનો ટીનેજર ખુશાલ ભેદા 80 ટકા બર્ન-ઇન્જરી સાથે અત્યંત ગંભીર હાલતમાં કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. ખુશાલ જિંદગી અને મોત વચ્ચેની જંગમાં પાંચ દિવસ બાદ અંતે હારી ગયો હતો. ગઈ કાલે સવારે 9 વાગ્યે તેણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો.

 



આ પણ વાંચો: કર્જ ચૂકવવાના ટેન્શનમાં યુવાન ટેલરે રેલવેના પાટા પર સૂઈને કરી આત્મહત્યા


 

બોરીવલી ગવર્મેન્ટ રેલવે પોલીસ(જીઆરપી) સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સંજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખુશાલ ભેદાનું ગઈ કાલે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અમે આ ઘટનામાં ઍકિસડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) કેસ નોંધી આગળની તપાસ કરી રહ્યા છીએ. ખુશાલનું પોસ્ટમોર્ટમ નાયર હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2019 12:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK