એમાં બોરીવલી રેલવે-સ્ટેશન સહિત અનેક મેઇન સ્ટેશનોનો સમાવેશ થાય છે. હાલમાં ઇમર્જન્સી મેડિકલ રૂમ સેન્ટ્રલ રેલવેના દાદર રેલવે-સ્ટેશન પર માર્ચ મહિનાથી ઈજા પામેલા લોકોને સારવાર મળે એ માટે શરૂ કરવામાં આવ્યો છે.
જીઆરપીના કમિશનરે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓને લેટર લખીને ભલામણ કરી હતી, જેમાં છ રેલવે-સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવાનું સજેશન આપ્યું હતું. એમાં વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી, વસઈ અને પાલઘર જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે; જ્યારે સેન્ટ્રલ રેલવેનાં થાણે, કુર્લા અને કલ્યાણ જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે.
જીઆરપીના કમિશનર પ્રભાત કુમારે આ વિશે જણાવ્યું હતું કે ‘ઈજા પામેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે ગોલ્ડન અવર (એક કલાકનો સમય) ખૂબ જ મહkવનો હોય છે. જો જલદી મેડિકલ સારવાર મળે તો ઘણા લોકોની જિંદગી બચી શકે છે. જે છ સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ ઊભો કરવાનું સજેશન આપવામાં આવ્યું છે એ સેક્શનમાં ભૂતકાળમાં ઍક્સિડન્ટ ખૂબ જ થતા આવ્યા હતા.’
એક રેલવે-ઍક્ટિવિસ્ટે કરેલી જનહિતની અરજી પર દાદર પર ઇમર્જન્સી મેડિકલ રૂમ શરૂ કરવાનો મુંબઈ હાઈ કોર્ટે રેલવેના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો, જેથી ઈજા પામેલી વ્યક્તિને તરત જ સારવાર મળી રહે. હાઈ કોર્ટનો આદેશ હતો કે દાદર રેલવે-સ્ટેશન પર બનાવવામાં આવેલા અત્યાધુનિક મેડિકલ રૂમને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવે અને ત્યાર પછી એ મૉડલને અડૉપ્ટ કરીને બીજાં સ્ટેશનો પર બનાવવામાં આવે.
જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 ISTબોરીવલી પટેલ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિત ઇલેવન ચૅમ્પિયન
28th February, 2021 12:34 ISTકોરોનાને લીધે બોરીવલીના દેરાસરમાં રાખેલો ચાતુર્માસનો જયોત્સવ રદ
25th February, 2021 09:05 IST