Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો

આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો

29 August, 2012 05:51 AM IST |

આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો

આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો


adarsh-buildingછેલ્લા કેટલાક મહિનાઓથી આદર્શકૌભાંડ મામલામાં સીબીઆઇની તપાસ પર નજર રાખી રહેલી બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝનલ બેન્ચે ગઈ કાલે આ મામલામાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓ તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણની અરજીની સુનાવણી સામે વાંધો જાહેર કર્યો હતો.

હકીકતમાં સોમવારે અશોક ચવાણ દ્વારા અરજી કરીને તેમની વિરુદ્ધનો કેસ પડતો મૂકવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની સામે આ કેસ રાજકીય કિન્નાખોરીને કારણે કરવામાં આવ્યો હતો અને એની તપાસ કરી રહેલી સીબીઆઇ પાસે પણ પૂરતા કાયદાકીય પુરાવાઓ નથી. આ ઍપ્લિકેશન સાથે ઍક્ટિવિસ્ટ પ્રવીણ વાટેગાવકર અને સિમપ્રીત સિંહની જાહેર હિતની અરજીઓ પણ હતી અને આ તમામની ગઈ કાલે સુનાવણી હતી, પણ આ સુનાવણી સામે જ ડિવિઝનલ બેન્ચે વાંધો ઉઠાવ્યો હતો. આ સુનાવણી વખતે ડિવિઝનલ બેન્ચના જજિઝ જસ્ટિસ એસ. એ. બોરાડે અને આર. જી. કેતકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ આ સુનાવણી કરી શકે એમ નથી.



સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK