છેલ્લાં થોડા સમયથી સુધરાઈ કોરોનાના નિયમોનું સખતાઈથી પાલન નહોતી કરાવતી, પણ હવે કેસોમાં વધારો થવાની સાથે એણે પણ લૉકડાઉન વખતે જે નિયમો રાખ્યા હતા એ ફરી એકવાર લાગુ કરવાનું નક્કી કર્યું છે. એના જ ભાગરૂપે હવે જે બિલ્ડિંગમાં કોરાનાના કેસની સંખ્યા વધારે હશે એ બિલ્ડિંગને ફરીથી સીલ કરવામાં આવશે. એના વિશે બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવેથી જો કોઈ બિલ્ડિંગમાં પાંચ કેસ હશે તો એને સીલ કરી દેવામાં આવશે.
ક્યારે કેટલા ફ્લોર સીલ કરાશે?
આ વિશે માહિતી આપતાં બીએમસીના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘૪થી પાંચ માળાની નાની બિલ્ડિંગ હોય અને બે અલગ-અલગ ફ્લોર પર પોઝિટીવ પેશન્ટ આવે તો એ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી રહી છે. તેમ જ મોટી બિલ્ડિંગમાં અલગ ફ્લોર પર પેશન્ટ આવે તો પહેલા સ્ટેજમાં એ ફ્લોર સીલ કરીએ છીએ. પરંતુ જો પાંચથી વધુ પોઝિટીવ પેશન્ટ મળી આવ્યા તો સંપૂર્ણ બિલ્ડિંગને જ સીલ કરવામાં આવી રહી છે.’
તો આખો ફ્લોર ક્વૉરન્ટીન
કોરોના પેશન્ટનો કેસ તમારી બિલ્ડિંગમાં બને નહીં એની તકેદારી ખાસ રાખવી પડશે. કોરોના નિયમો અચૂક પાળવા પડશે અથવા ક્વૉરન્ટીન થવાનો વારો આવશે. હવે બીએમસી બિલ્ડિંગના ફ્લોર પર કોઈ પોઝિટીવ કેસ આવ્યો તો એ આખા ફ્લોરને સીલ કરી દેવામાં આવશે. આ ફ્લોર પરથી કોઈને અંદર આવવા નહીં દેવાશે કે અહીંથી કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં.
Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
25th February, 2021 14:36 ISTમહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ
25th February, 2021 10:44 IST60 વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વૅક્સિન આપશે
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 IST