TMC MLA હત્યા કેસ: BJPના મુકુલ રૉય સહિત ચાર જણ સામે કેસ
મુકુલ રૉય
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં TMCના વિધાનસભ્ય સત્યજિત બિશ્વાસની હત્યાના કેસમાં BJPના નેતા મુકુલ રૉય સહિત ચાર જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મુકુલ રૉયે રાજકીય હેતુસર આ કેસમાં પોતાનું નામ FIRમાં સંડોવવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. FIRમાં ઉલ્લેખિત ચાર જણમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુર્જર આંદોલન બન્યું હિંસક, પોલીસના વાહનો સળગાવ્યા, કલમ 144 લાગુ
ADVERTISEMENT
ગયા શનિવારે નાદિયા જિલ્લાના કિશનગંજ મતવિસ્તારના TMCના ૪૧ વર્ષના વિધાનસભ્ય સત્યજિત બિશ્વાસ ફૂલબારી વિસ્તારમાં સરસ્વતીપૂજામાંથી બહાર નીકળ્યા પછી તેમના પર પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.