Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ એમ્સમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઈન ફ્લૂનો કરાવી રહ્યા હતા ઈલાજ

અમિત શાહ એમ્સમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઈન ફ્લૂનો કરાવી રહ્યા હતા ઈલાજ

20 January, 2019 11:29 AM IST |

અમિત શાહ એમ્સમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઈન ફ્લૂનો કરાવી રહ્યા હતા ઈલાજ

અમિત શાહને આપવામાં આવી હૉસ્પિટલમાંથી રજા

અમિત શાહને આપવામાં આવી હૉસ્પિટલમાંથી રજા


અમિત શાહને AIIMSમાંથી રજા આપવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને સાંસદ અનિલ બલૂનીએ આ વાતની જાણકારી આપી. બલૂનીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'આપણા માટે આનંદની વાત છે કે આપણા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી આજે પૂર્ણ રીતે સ્વસ્થ થઈને એમ્સથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે આવી ગયા છે'. અમિત શાહનો કેટલાક દિવસોથી એમ્સમાં સ્વાઈન ફ્લૂનો ઈલાજ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચોઃ હાઉઝ ધ જોશ ? : પીએમ મોદી



હાલમાં ભાજપના અનેક નેતાઓ અસ્વસ્થ છે. અમિત શાહને હજુ પણ બે અઠવાડિયા આરામ કરવો પડશે. જ્યારે નાણામંત્રી અરૂણ જેટલી સારવાર માટે અમેરિકા ગયા છે. જો કે તેઓ બજેટ પહેલા પાછા આવી જશે. સુગર વધી જવાના કારણે થોડા સમય પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરી સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા. અમિત શાહ અને અરુણ જેટલીના સ્વાસ્થ્યના કારણે ભાજપની લોકસભા ચૂંટણી માટેના મેનિફેસ્ટોની બેઠક પણ મોડી થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 11:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK