પ્રજ્ઞા ઠાકુરે બુક કરેલ સીટ નહીં ફાળવતા સ્પાઇસ જેટ સામે ફરીયાદ કરી
પ્રજ્ઞા ઠાકુરે
(જી.એન.એસ.) બીજેપીનાં ચર્ચિત સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે ખાનગી અૅરલાઇન કંપની સ્પાઇસ જેટ સામે ભોપાલ એરપોર્ટ ડાયરેક્ટરને ફરિયાદ કરી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાને બુક કરાવેલી બેઠક નહીં ફાળવવામાં આવતાં તેમ જ સ્પાઇસ જેટના ક્રૂ સભ્યો દ્વારા ગેરવર્તન કરવાની ફરિયાદ ભોપાલ અૅરપોર્ટ ડાયરેક્ટરને કરી છે.
ભોપાલ અૅરપોર્ટ પર સાધ્વી પ્રજ્ઞાએ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં સીટ બુક કરાવી હતી. જોકે ફ્લાઇટમાં તેમણે બુક કરાવેલી બેઠક નહીં ફાળવવામાં આવતાં તેમણે અૅરપોર્ટ ડાયરેક્ટર અનિલ વિક્રમને આ બાબતે લેખિત ફરિયાદ કરી છે. સાંસદ ઠાકુરે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને સ્પાઇસ જેટની ફ્લાઇટમાં તેમને બુક કરાવેલી સીટ ફાળવવામાં આવી નહોતી તેમ જ ક્રૂ સભ્યોએ પણ ગેરવર્તન કર્યું હતું.
અરજીમાં પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું કે ટ્રેન તેમ જ ફ્લાઇટ સેવા લોકોની અનુકૂળતા માટે હોય છે. જો એક સાંસદ સાથે આવું વર્તન થઈ શકતું હોય તો સામાન્ય લોકો સાથે તો મનમરજી જ થતી હોવામાં બેમત નથી. જેથી એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે કે હું ગેરવ્યવસ્થા બદલ ફરિયાદ કરું.
ભોપાલના અૅરપોર્ટ ડાયરેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે અમને સાંસદની ફરિયાદ મળી છે અને અમે સ્પાઇસ જેટ તેમ જ ફ્લાઇટના ક્રૂ સભ્યો સામે તપાસ કરીશું. તપાસ બાદ જ જે સત્ય હશે તે જાણી શકાશે.