Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના

યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના

17 November, 2014 05:37 AM IST |

યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના

યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના



l k advani




તાજેતરમાં અડવાણીએ પટનામાં યોજાયેલા એક સંમેલનમાં જણાવ્યું હતું કે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમની યુતિમાં રહેવાની સલાહ ગમી નહોતી. શિવસેનાએ જણાવ્યું હતું કે ‘જ્યારે યુતિમાં વાતચીતમાં મુશ્કેલીઓ સામે આવી ત્યારે ઉદ્ધવજીએ સામેથી ફોન કરીને અડવાણીજીને પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. જો યુતિમાં ભંગાણ પડે તો અમને માફ કરજો એવી શાલિનતા ઉદ્ધવે દાખવી હતી.’

અડવાણીએ યુતિ તોડવા બદલ શિવસેનાને કારણભૂત જણાવતાં એના જવાબમાં શિવસેનાના સંજય રાઉતે શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે ‘જો શિવસેનાએ દાયકાઓ જૂની યુતિ તોડવી હોત તો એણે  ગ્થ્ભ્ની ઓછી સીટો લડવાની માગણી સ્વીકારી ન હોત. હિદુત્વ પર આધારિત આ યુતિ જો અમારે તોડવી હોત તો અમે ઓછી સીટો સ્વીકારી ન હોત. જો અડવાણીજીને તેમની પાર્ટી પાસેથી પૂરી વિગતો મળી ન હોય તો એ વિગતો અમે તેમની સમક્ષ રજૂ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2014 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK