Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો મંત્રણા નિષ્ફળ જાય તો લશ્કરી વિકલ્પો ખુલ્લા હોવાનુ બિપિન રાવત કહે છે

જો મંત્રણા નિષ્ફળ જાય તો લશ્કરી વિકલ્પો ખુલ્લા હોવાનુ બિપિન રાવત કહે છે

25 August, 2020 11:18 AM IST | New Delhi
Agencies

જો મંત્રણા નિષ્ફળ જાય તો લશ્કરી વિકલ્પો ખુલ્લા હોવાનુ બિપિન રાવત કહે છે

બિપિન રાવત

બિપિન રાવત


ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે ગઈ કાલે જણાવ્યું હતું કે જો લશ્કરી અને રાજદ્વારી સ્તરે બન્ને દેશો વચ્ચેની વાતચીતનું પરિણામ નહીં મળે તો ભારતની પાસે ચીન સામે કાર્યવાહી કરવા માટે ‘લશ્કરી વિકલ્પો’ છે.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર રાવતે કહ્યું કે ‘લદ્દાખમાં ચીની સેના દ્વારા એલએસીના ઉલ્લંઘનનો સામનો કરવાનો લશ્કરી વિકલ્પ ચાલુ છે, પરંતુ સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો નિષ્ફળ જાય તો જ એનો ઉપયોગ કરવામાં આવશે.’



ફિંગર વિસ્તાર, ગલવાન ખીણ, હૉટ સ્પ્રિંગ્સ સહિતનાં અનેક ક્ષેત્રોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-મે મહિનાથી મડાગાંઠ સર્જાઈ છે.


લેફ્ટનન્ટ જનરલ-લેવલની પાંચ વાટાઘાટો સહિત છેલ્લા ત્રણ મહિનાથી બન્ને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જોકે સીડીએસ લદ્દાખ સેક્ટરમાં ચીની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનને આગળ ધપાવવા માટે ભારતે લશ્કરી વિકલ્પોની વિસ્તૃત ચર્ચા કરવાની ના પાડી હતી.


ચીની સેનાએ ફિંગર વિસ્તારમાંથી સૈન્યને સંપૂર્ણ રીતે પાછું ખેંચી લેવાની ના પાડી દીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 11:18 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK