Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

26 September, 2012 10:05 AM IST |

ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં



વધુ તસવીરો અપડેટ થતી રહેશે...






ભાઈંદર (ઈસ્ટ), કૃષ્ણ પાર્ક બિલ્ડિંગ, બી-૩૦૩, રાહુલ પાર્ક, જેસલ પાર્ક, હરેશ પાસડ. વર્ષ ૪થું, ૫ાંચ દિવસ, ઊંચાઈ ૩ ફૂટ. વિશેષતા : ગણપતિની કાચી મૂર્તિ પેણથી લાવી એને નિયૉન રંગથી રંગીને બ્લુ રંગના પ્રકાશમાં ચમકે એવી બનાવવામાં આવી હતી. વળી એની ફરતે એવી જ રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને રેડિયમ લગાવીને આકાશના તારા દેખાતા હોય એવી ઇફેક્ટ આપવામાં આવી હતી.




ભાઈંદર (વેસ્ટ), મોદી-પટેલ રોડ સાર્વજનિક ગણેશ મંડળ. વર્ષ ૩૭મુંં, ૧૧ દિવસ, ઊંચાઈ ૧૦ ફૂટ. વિશેષતા : આ મંડળે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિને બિરાજમાન કર્યા છે. અર્ધનારીશ્વર એટલે કે અડધું શંકર ભગવાન અને અડધું પાર્વતી માતાનું રૂપ ગણપતિની પ્રતિમામાં જોવા મળે છે. આ વખતે મંડળ દ્વારા મહિલાઓના મહત્વ વિશે અને સ્ત્રીભ્રૂણહત્યા રોકવા પર સંદેશ આપવામાં આવ્યો છે. દસ મિનિટના શોમાં સમાજના આ ગંભીર મુદ્દાઓ વિશે બતાવવામાં આવ્યું છે. કડક કાયદાઓ બનાવવામાં આવ્યા હોવા છતાંય કેમ હજીયે સ્ત્રીભ્રૂણહત્યા થાય છે તેમ જ દેવીમાતા પણ એક મહિલા છે તો મહિલાઓને આપણે માતાની જેમ પૂજવી જોઈએ એવા સંદેશાઓ મંડળની થીમ દ્વારા આપવામાં આવ્યા છે.



નાલાસોપારા (ઈસ્ટ), એ-૨૦૪, ન્યુ સાંઈ દર્શન, ટાકી-વિરાર રોડ, ગાયત્રી આશર. વર્ષ ૪૪મું,  દોઢ દિવસ, ઊંચાઈ બે ફૂટ. વિશેષતા : પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં લોકોએ સાઇકલ પર પ્રવાસ કરવો પડશે એવો મેસેજ આપવાના પ્રયાસ સાથે આ કચ્છી ભાટિયા પરિવારે સાઇકલ ચલાવતા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને બાળસ્વરૂપ હોવાથી અનેક પ્રકારનાં સૉફ્ટ ટૉય્ઝ મૂક્યાં હતાં જેમાં ડોનાલ્ડ ડક, ટેડી બેર, ફ્રૉગ, ટ્વીટી વગેરેનો સમાવેશ હતો. આ પરિવાર વર્ષોથી પ્લાસ્ટર ઑફ પૅરિસની એક મૂર્તિ પૂજામાં રાખે છે એને પણ સાથે મૂકવામાં આવી હતી.



વિરાર (વેસ્ટ), સી-૪૦૩, પુષ્પક પ્રીમિયમ પાર્ક, બોલિન્જ, અગાસી રોડ, માનવ ઠક્કર. વર્ષ ૧૫મું, દોઢ દિવસ, ઊંચાઈ ૨૧ ઇંચ. વિશેષતા : ભગવાન શ્રીનાથજીની મંગળા સ્વરૂપની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને કાળા તથા સૅટિનના કાપડ, લેસ, લાલ માટી અને કાગળનો ઉપયોગ કરીને ગિરિરાજજી બનાવવામાં આવ્યા હતા. બધી જ આઇટમો ઇકો-ફ્રેન્ડ્લી હતી.



Whatsapp-channel Whatsapp-channel

26 September, 2012 10:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK