ભરૂચઃઅકસ્માતમાં 2 જૈન સાધ્વીના મોત
ભરૂચમાં થયો અકસ્માત
રાજ્યમાં વધુ એક અકસ્માતમાં ફરી એકવાર જૈન સાધ્વીઓના મોત નીપજ્યા છે. વારંવાર જૈન સાધ્વીઓ અકસ્માતનો ભોગ બનતા રહે છે. આવી જ એક વધુ દુર્ઘટના ભરૂચમાં થઈ છે. ભરૂચના અસુરિયા નજીકના હાઈવે પર ટેમ્પોની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ઘટના આજે સવારે 6 વાગ્યાની છે. ભરૂચના અસુરિયા ગામે બે જૈન સાધ્વી વિહાર કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા ટેમ્પોએ બંને જૈન સાધ્વીઓને અડફેટે લીધા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને સાધ્વીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં લોકોએ એક્ઠા થયા હતા. તો પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને કારણે જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.