પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતીની હત્યા કરનારને 10 લાખનું ઇનામ
અમૂલ્યા લિયોન અને ઔવેસી
હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના એક કાર્યકરે બૅન્ગલોરમાં સીએએ વિરોધી રૅલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર અમૂલ્યા લિયોનની હત્યા કરવા માટે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
એક વિડિયો-ફુટેજમાં કાર્યકર સંજીવ મારદી એલાન કરતો જોવા મળે છે. તે કહે છે, ‘જો સરકારે તેને છોડી દીધી તો હું તેને મારી નાખીશ. મારદીએ આ એલાન શ્રીરામ સેના દ્વારા બેલ્લારી શહેરમાં આયોજિત એક રૅલીમાં કર્યું હતું. મારદીએ કહ્યું હતું કે અમૂલ્યાની હત્યા કરનારને શ્રીરામ સેના તરફથી અમે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપીશું.
ADVERTISEMENT
બીજી તરફ બેલ્લારીના પોલીસતંત્રનું કહેવું છે કે આવો કોઈ વિડિયો અમને જોવા મળ્યો નથી અને આવી કોઈ જાહેરાત થઈ હોવાનું અમારા ધ્યાનમાં નથી. પોલીસવડા સી. કે. બાબાએ કહ્યું હતું કે મને પહેલાં તો આ વિશે જાણકારી મેળવવા દો.
અમૂલ્યા લિયોને રૅલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા બાદ લોકોમાં ભારે રોષ ભડકી ઊઠ્યો છે. તેના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.