મમતાને ફરી મોટો ઝટકોઃ વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપ્યું
રાજીવ બૅનરજી, મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ પહેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવાર (૨૨ જાન્યુઆરી)એ રાજ્યના વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલાં પાંચ જાન્યુઆરીએ ખેલપ્રધાન લક્ષ્મી રતન શુક્લાએ પણ રાજીનામું આપી દીધું છે.
મમતાને લખવામાં આવેલા પત્રમાં રાજીવે જણાવ્યું છે કે તેઓ કૅબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે તેમણે આ વિશેના કારણની કોઈ સ્પષ્ટતા કરી નથી. પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો એ માટે હું ખૂબ આભારી છું. રાજીવ બૅનરજી દોમજુરથી ધારાસભ્ય છે. રાજીવે રાજીનામું ગવર્નર જગદીપ ધનખડને મોકલ્યું છે.