Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતાને ફરી મોટો ઝટકોઃ વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપ્યું

મમતાને ફરી મોટો ઝટકોઃ વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપ્યું

23 January, 2021 02:18 PM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમતાને ફરી મોટો ઝટકોઃ વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપ્યું

રાજીવ બૅનરજી, મમતા બૅનરજી

રાજીવ બૅનરજી, મમતા બૅનરજી


પશ્ચિમ બંગાળમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ પહેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવાર (૨૨ જાન્યુઆરી)એ રાજ્યના વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલાં પાંચ જાન્યુઆરીએ ખેલપ્રધાન લક્ષ્મી રતન શુક્લાએ પણ રાજીનામું આપી દીધું છે.

મમતાને લખવામાં આવેલા પત્રમાં રાજીવે જણાવ્યું છે કે તેઓ કૅબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે તેમણે આ વિશેના કારણની કોઈ સ્પષ્ટતા કરી નથી. પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો એ માટે હું ખૂબ આભારી છું. રાજીવ બૅનરજી દોમજુરથી ધારાસભ્ય છે. રાજીવે રાજીનામું ગવર્નર જગદીપ ધનખડને મોકલ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 02:18 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK