Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં લૉકડાઉન છતાં બૅન્કોનું વિલીનીકરણ થશે

દેશમાં લૉકડાઉન છતાં બૅન્કોનું વિલીનીકરણ થશે

29 March, 2020 06:10 PM IST | Mumbai Desk
GNS

દેશમાં લૉકડાઉન છતાં બૅન્કોનું વિલીનીકરણ થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે કહ્યું છે કે બૅન્કોના વિલયની યોજના હાલ પાટા પર છે અને એક એપ્રિલથી તેના પર અમલ શરૂ થઈ જશે. હાલ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ બની છે તેમ છતાં પણ આ બૅન્કોનો વિલય કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય પ્રધાનમંડળે આ મહિનાની શરૂઆતમાં જ સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બૅન્કોનું મર્જ ચાર બૅન્કમાં કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ અંગે જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે વાત કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે બૅન્કોના મર્જની પ્રક્રિયાની કોઈ સમયસીમા વધારવામાં આવી નથી. બૅન્કના મામલાઓના સચિવ દેવાશિષ પાંડાએ જણાવ્યું હતું કે વિલયની પ્રક્રિયા પર હાલ કામ ચાલુ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બૅન્કિંગ ક્ષેત્ર કોરોનાની મહામારીના પડકારને પાર પાડી લેશે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 06:10 PM IST | Mumbai Desk | GNS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK