Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન

૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન

08 November, 2011 08:19 PM IST |

૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન

૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન


 

બાંદરા (વેસ્ટ)ના લિન્કિંગ રોડ પરના રાવસાહેબ પટવર્ધન ગાર્ડન પાસે આવેલા આ થિયેટરને અપગ્રેડ કરવા માટેનું યોગ્ય કારણ સુધરાઈએ નથી આપ્યું અને બૉમ્બે હાઈ ર્કોટે રિનોવેશનનું કામ ૩૧ ઑગસ્ટ ૨૦૧૨ સુધીમાં પૂરું કરીને એ પાછું સુધરાઈને સોંપી દેવાનો આદેશ આપ્યો છે. એક એએલએમ (ઍડ્વાન્સ લોકાલિટી મૅનેજમેન્ટ)ના પ્રેસિડન્ટ આફતાબ સિદ્દીકીએ કહ્યું હતું કે ‘આ લોકો શા માટે કામમાં ઢીલ કરી રહ્યા છે એ નથી સમજાતું. એક તરફ તેઓ સુધરાઈને મૂરખ બનાવે છે અને બીજી તરફ લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વંચિત રાખી રહ્યા છે.’

આ સંદર્ભમાં આફતાબ સિદ્દીકીએ સુધરાઈને પત્રો પણ લખ્યા છે. બીજા અનેક સ્થાનિક કળાપ્રેમીઓએ આ થિયેટરના કાર્યક્રમો મિસ થતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. સુધરાઈના ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ૧૯૯૩માં જ આપી દેવામાં આવ્યું હતું અને એને છ વાર રિન્યુ કરવામાં આવ્યું હતું. ૧૦૦૦ બેઠકોવાળા આ થિયેટરમાં અત્યારે કામ ચાલી રહ્યું છે. આ થિયેટર ૧૫ દિવસમાં સુધરાઈને સોંપી દેવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2011 08:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK