Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરાનો સ્કાયવૉક 31 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

બાંદરાનો સ્કાયવૉક 31 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

15 September, 2019 01:45 PM IST | મુંબઈ

બાંદરાનો સ્કાયવૉક 31 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

બાંદરાનો સ્કાયવૉક

બાંદરાનો સ્કાયવૉક


બાંદરા સ્ટેશન પરના સ્કાયવૉકનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી સમારકામ કરાયા બાદ ૩૧ડિસેમ્બર સુધીમાં તે ખુલ્લો મૂકવામાં આવશે એમ બીએમસીએ શુક્રવારે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું.

બાંદરા સ્ટેશનથી કલાનગર જવા માગતા પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સ્કાયવૉક બાંધવામાં આવ્યો હતો પરંતુ અગમ્ય કારણોસર એમએમઆરડીએએ તે બંધ કર્યો હતો. જોકે આ સ્કાયવૉક બંધ કરાતા લાખો મુસાફરોને હાડમારી વેઠવી પડતાં તે ફરી શરૂ કરવાની વિનંતી કરતી અરજી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.



આ પણ વાંચો : હવે શરદ પવાર રાજ્યની યાત્રા કરશે


ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બૅન્ચ સમક્ષ શુક્રવારે આ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. તે વેળાએ બીએમસીએ ૧૫ ઑક્ટોબર સુધીમાં સ્ટ્રક્ચરલ ઑડિટનું કામ પૂરું કરી, ૧૫ નવેમ્બર સુધીમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરી ૩૧ ડિસેમ્બર સુધીમાં સ્કાયવૉક ખુલ્લો મૂકવાની ખાતરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 01:45 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK