બાળ ઠાકરેએ આપી રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છા
તેમણે કહ્યું હતું કે ‘રાજ્યની જનતાને બાળાસાહેબની તબિયતને કારણે ચિંતા છે, પણ તેમની તબિયત ગઈ કાલે શનિવાર કરતાં વધુ સારી હતી. તેમણે રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છા આપી છે.’
છેલ્લા બે દિવસથી રોજ માતોશ્રી જતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ અને તેમના ભત્રીજા રાજ ઠાકરે ગઈ કાલે બપોરે ફરી તેમની ખબર કાઢવા ગયા હતા.
બાળ ઠાકરેની તબિયત પર ડૉક્ટરની એક ટીમ હાલ માતોશ્રીમાં સતત નિરીક્ષણ કરી રહી છે.