Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરમાં બાળ ઠાકરેની શોકસભા દરમ્યાન મહિલાનું પર્સ ચોરાયું

દહિસરમાં બાળ ઠાકરેની શોકસભા દરમ્યાન મહિલાનું પર્સ ચોરાયું

21 November, 2012 04:36 AM IST |

દહિસરમાં બાળ ઠાકરેની શોકસભા દરમ્યાન મહિલાનું પર્સ ચોરાયું

દહિસરમાં બાળ ઠાકરેની શોકસભા દરમ્યાન મહિલાનું પર્સ ચોરાયું


આ પર્સમાં તેણે ૪૦૦૦ રૂપિયા સહિત જરૂરી વસ્તુઓ હતી. આ સંદર્ભે માધુરીએ દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરજાદેએ કહ્યું હતું કે ‘બાળ ઠાકરેના અવસાન નિમિત્તે એમટીએનએલની ઑફિસમાં સોમવારે સવારે શોકસભા રાખવામાં આવી હતી. એમાં ઑફિસના બધા કર્મચારીઓ સામેલ થયા હતા. શોકસભા ત્રીજા માળ પર રાખવામાં આવી હતી, જ્યારે માધુરીનું પર્સ ચોથા માળ પરથી ચોરાયું હતું. માધુરીએ પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે શોકસભા અટેન્ડ કરવા ગઈ હોવાથી હું મારું પર્સ મારા ટેબલ પર જ મૂકીને ગઈ હતી અને પાછી આવી ત્યારે પર્સ ત્યાં નહોતું. અમને શંકા છે કે ઑફિસના જ કોઈ કર્મચારીએ તેનું પર્સ ચોર્યું હોઈ શકે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છે અને આરોપી જલદી જ પકડાઈ જશે.’

એમટીએનએલના મૅનેજર પી. આઇ. મસ્કેએ કહ્યું હતું કે આ ઘણી જ નાની ઘટના છે અને આ ચોરી બહુ જ મામૂલી છે.

એમટીએનએલ = મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2012 04:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK