'56' દિવસમાં લાવો નિર્ણયઃ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો આદેશ
અયોધ્યા કેસમાં સુપ્રીમ આદેશ
અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.