અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે ફાડ્યો નકશો,આજે સુનાવણીનો છેલ્લો દિવસ
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ મામલે પર આજે છેલ્લા દિવસની સુનાવણી ચાલી રહી છે. સુનાવણીની શરૂઆતથી જ તીખી દલીલો ચાલી રહી છે. મોકો આપવા પર હિંદૂ મહાસભાના વકીલ વિકાસ સિંહે કોર્ટમાં બુક આપવામાં આવી જેના પર મુસ્લિમ પક્ષની વકીલ રાજીવ ધવને વાંધો ઉઠાવ્યો. તેમણે વિકાસ સિંહની તરફથી આપવામાં આવેલા નકશાને પણ ફાડી નાખ્યો. આ પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વાંધો ઉઠાવ્યો. ANIના અહેવાલ પ્રમાણે દેશના સૌથી ચર્ચિત કેસમાં ચાર કે પાંચ સપ્ટેમ્બરે નિર્ણય આવી શકે છે.
અત્યાર સુધીની મહત્વની અપડેટ્સ..
-ઑલ ઈન્ડિયા બાબરી મસ્જિદ સમિતિના સંયોજક જફરયાબ જિલાનીએ સુન્ની વકફ બોર્ડે અપીલ પાછી લીધી હોવાની અફવાઓ પર કહ્યું કે મને આ મામલો કોઈ જાણકારી નથી.
All India Babri Masjid Action Committee (AIBMAC) convener Zafaryab Jilani: I have no information on withdrawal of appeal by Sunni Waqf Board. (file pic) #AyodhyaCase pic.twitter.com/EzxgW0fZIM
— ANI (@ANI) October 16, 2019
ADVERTISEMENT
-સમાચાર એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે, મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અખિલ ભારતીય હિંદૂ મહાસભાના અધિવક્તા દ્વારા સોંપવામાં આવેલા કાગળ અને નકશા કોર્ટમાં ફાડી નાખ્યા.
-મામલામાં અખિલ ભારતીય હિંદૂ મહાસભાના વકીલની દલીલ બાદ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જો આવી જ રીતે દલીલો ચાલતી રહી તો અમે કોર્ટની બહાર જતા રહીશું.
-મુસ્લિમ પક્ષના વકીલે વડી અદાલતમાં કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનશે.
-CJI રંજન ગોગોઈએ મામલામાં એક પક્ષ હિંદૂ માયા સભાના હસ્તક્ષેપના આવેદનને ફગાવતા કહ્યું કે આ મામલો આજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ખતમ થઈ જશે. હવે બહુ થયું.
Sr Advocate Rajeev Dhavan appearing for one of the Muslim parties in #Ayodhya case teared down papers,maps handed over to him by counsel of All India Hindu Mahasabha. Dhavan was objecting to All India Hindu Mahasabha’s counsel trying to place publication by K Kishore
— ANI (@ANI) October 16, 2019
મુસ્લિમ પક્ષકારને એક કલાકનો સમય
મામલાની સુનાવણી કરી રહેલી સંવિધાન પીઠના પ્રમાણે, મુસ્લિમ પક્ષકારને છોડીને અન્ય પક્ષકારોને 45-45 મિનિટનો સમય મળશે. જ્યારે મુસ્લિમ પક્ષકારના વીકલ રાજીવ ધવને 1 કલાકમાં સામેના પક્ષની દલીલોનો જવાબ આપવાનો રહેશે.
આ પણ જુઓઃ Happy Birthday Dreamgirl: જાણો હેમા માલિનીના જીવનની ખાસ વાતો...
ઐતિહાસિક ભૂલ સુધારવાનો સમય
મંગળવારે હિંદૂ પક્ષકારના વકીલ કે. પરાસરને પોતાની દલીલમાં મસ્જિદ બનાવવામાં આવી હોવાને ભૂલ કરાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુગલ શાસક બાબરે લગભગ 433 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થાન પર મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું જે એક 'ઐતિહાસિક ભૂલ' હતી. આજે તેને સુધારવાનો સમય છે.