અમર જવાન સ્મારકનું અપમાન કરનારા બદમાશોને પકડાવવા રાજ પુરોહિત તરફથી ૧ લાખ રૂપિયાનું ઇનામ
આવતી કાલે આ પ્રોટેસ્ટ માર્ચ મેટ્રો સર્કલથી આઝાદ મેદાન પહોંચશે અને એમાં મોટી સંખ્યામાં મુંબઈગરાને જોડાવાની અપીલ કરતાં બીજેપીના મુંબઈ પ્રમુખ રાજ પુરોહિતે ગઈ કાલે કહ્યું હતું કે ‘આસામના માર્ગે આપણા દેશમાં મોટી સંખ્યામાં ઘૂસી ગયેલા બંગલાદેશીઓ આઝાદ મેદાન પર થયેલાં તોફાનો માટે જવાબદાર છે. અમે આ પૂરા બનાવની યોગ્ય રીતે તપાસ કરવાની માગણી કરી છે.’
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય પાસે આવેલા અમર જવાન મેમોરિયલને જે બે લોકો નુકસાન પહોંચાડવા માગતા હતા તેમને શોધી આપનારાઓ માટે પર્સનલ લેવલ પર એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ રાજ પુરોહિતે ગઈ કાલે કરી હતી.