Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામ સરકાર લગ્નમાં નવવધૂઓને ફ્રીમાં એક તોલા સોનું આપશે

આસામ સરકાર લગ્નમાં નવવધૂઓને ફ્રીમાં એક તોલા સોનું આપશે

21 November, 2019 12:31 PM IST | New Delhi

આસામ સરકાર લગ્નમાં નવવધૂઓને ફ્રીમાં એક તોલા સોનું આપશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


આસામની સરકારે અરુંધતિ યોજના અંતર્ગત દુલ્હનને એક તોલા સોનું આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કૅબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતાં દુલ્હનનાં માતા-પિતાને મફતમાં એક તોલુ સોનું આપવાની જાહેરાત કરી છે.
જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળલગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરુંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં બાળલગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળલગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઈ પણ યુવતીનાં લગ્ન ૧૮ વર્ષથી પહેલાં અને યુવકનાં લગ્ન ૨૧ વર્ષથી પહેલાં થઈ શકે નહીં.
જોકે, આ યોજનાનો લાભ કોઈ પણ જાતિ, પંથ, ધર્મને માનતા પરિવાર લઈ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. કૅબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઑફિસો અને કામકાજનાં સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપ્કિન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઈને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 12:31 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK