સશક્ત લોકપાલ બિલ જ પાસ થવું જોઈએ : અરુણ જેટલી
આખા દેશની નજર રાજ્યસભા પર મંડાયેલી છે અને આ કારણે દેશના હિતમાં નિર્ણય લેવામાં આવે એ બહુ જરૂરી છે. દેશને અત્યારે જરૂર છે મજબૂત અને અસરકારક લોકપાલ બિલની. નબળા અને અર્થહીન લોકપાલ બિલની કોઈ જરૂર નથી, કારણ કે એનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં કોઈ મદદ મળવાની નથી.’