Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કલમ-370 હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે: અમિત શાહ

કલમ-370 હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે: અમિત શાહ

12 August, 2019 09:25 AM IST | ચેન્નઈ

કલમ-370 હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે: અમિત શાહ

ચેન્નઈમાં ગઈ કાલે ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના પુસ્તકનું કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે અનાવરણ થયું હતું. તસવીર પી.ટી.આઇ.

ચેન્નઈમાં ગઈ કાલે ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના પુસ્તકનું કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે અનાવરણ થયું હતું. તસવીર પી.ટી.આઇ.


ગૃહપ્રધાન અમિત શાહે આજે ચેન્નઈમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના કાર્યકાળનાં બે વર્ષ પૂરાં થવા પર પુસ્તકનું વિમોચન કર્યું. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ‘મોદીજીએ જમ્મુ અને કાશ્મીરને કલમ ૩૭૦થી મુક્ત કરી દીધું. હવે મને વિશ્વાસ છે કે રાજ્યમાંથી આતંકવાદ પણ ખતમ થઈ જશે. કલમ ૩૭૦ હટ્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ થશે.’

પુસ્તકનું વિમોચન કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે કલમ ૩૭૦ નાબૂદી પર કહ્યું કે ‘ગૃહપ્રધાન તરીકે મારા મનમાં જરાય સંકોચ ન હતો કે શું થશે, કારણ કે એનાથી કાશ્મીરનો વિકાસ થશે, પરંતુ એ ડર જરૂર હતો કે રાજ્યસભામાં શું થશે. વેન્કૈયાજીના કારણે જ બધાએ એનું સમર્થન કર્યું. મને વિશ્વાસ છે કે હવે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાતમો થશે અને આ રાજ્ય પણ વિકાસના રસ્તે આગળ વધશે.’



ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ‘આ પુસ્તકનું ટાઇટલ નહીં, પરંતુ તેમનાં બે વર્ષના કાર્યકાળ અને તેમના જીવનની વ્યાખ્યા કરતું ટાઇટલ છે. હું આજે એક વાત જરૂર કહેવા માગું છું કે વેન્કૈયાજીનું જીવન અનુકરણીય છે. આદર્શ જીવન છે. વેન્કૈયાજીએ કલમ ૩૭૦ હટાવવા માટે આંદોલન કર્યું હતું અને હવે આજે જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે તેઓ રાજ્યસભાના સભાપતિ છે.’


અમિત શાહે આ ઉપરાંત જણાવ્યું કે ‘જીવનમાં સાંભળવું, શીખવું અને સમાજનું નેતૃત્વ કરવું, એ કેવી રીતે કરી શકો, એનો એક આદર્શ વેન્કૈયા નાયડુએ આ દેશની યુવા પેઢીની સામે રાખ્યું છે. આજે એક વાત ચોક્કસપણે જણાવવા માગીશ કે વેન્કૈયાજીનું જીવન વિદ્યાર્થીકાળથી લઈને આજ ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચવાનું જીવન રાજનીતિમાં કામ કરનારા તમામ યુવા કાર્યકર્તાઓ માટે અનુકરણીય છે.’

રાજ્યસભામાં કૉન્ગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ આ બિલ રાજ્યસભામાંથી પાસ થઈ ગયું હતું. ત્યાર બાદ બિલને લોકસભામાંથી મંજૂરી મળી હતી.


બીજી બાજુ કલમ ૩૭૦ પર થયેલા ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીર ઘાટીની સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો છે. ૧૨ ઑગસ્ટના રોજ બકરી ઇદના તહેવારને જોતાં કાશ્મીર ઘાટીના કેટલાય જિલ્લામાં કર્ફ્યુંમાં ઢીલ આપવામાં આવી છે. આ દરમ્યાન શ્રીનગર, અનંતનાગ, બડગામ જિલ્લામાં લોકોને રસ્તા પર નીકળવાની મંજૂરી છે. સામાન્ય લોકોને બજારમાં વસ્તુ ખરીદતાં અને જાહેર સ્થળો પર ફરતા દેખાયા.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી-અમિત શાહ કૃષ્ણ-અર્જુનની જોડી : રજનીકાંત

મોદી-શાહની જોડી કૃષ્ણ અને અર્જુન જેવીઃ રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતે પણ ચેન્નઈમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનાં વખાણ કર્યાં. તેમણે કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો સરકારનો નિર્ણય સારો છે. આ માટે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને અભિનંદન. પીએમ મોદી અને શાહ કૃષ્ણ-અર્જુન જેવા છે.
સંસદમાં આપેલા અમિત શાહના ભાષણની પણ પ્રસંશા કરી હતી અને કહ્યું કે હવે લોકોને ખબર પડશે કે શાહ કોણ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 09:25 AM IST | ચેન્નઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK