Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વરઘોડો, જમણવાર કે દાંડિયારાસની મનાઈ

વરઘોડો, જમણવાર કે દાંડિયારાસની મનાઈ

08 May, 2020 02:09 PM IST | Mumbai Desk
Agencies

વરઘોડો, જમણવાર કે દાંડિયારાસની મનાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઑરેન્જ ઝોન રહેલા રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે થોડીક શરતોને આધીન મંજૂરી મળી ગઈ છે. રાજકોટમાં લગ્નની તો મંજૂરી મળી ગઈ છે પણ મેળાવડા નહીં, સાદાઈથી લગ્ન કરી શકાશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે લોકો થોડીક શરતોને આધીન લગ્ન કરી શકશે. રાજકોટમાં થનારાં લગ્નમાં મેળાવડા નહીં, સાદાઈથી લગ્ન કરી શકાશે. ફુલેકાં અને જમણવાર નહીં કરી શકાય. આ સિવાય લગ્નમાં વીસથી વધુ લોકો હાજર પણ નહીં રહી શકે એટલું જ નહીં, જો તમારે લગ્નપ્રસંગ કરવો હશે તો અગાઉથી લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી પ્રાંત અધિકારીને આપવી પડશે. આજે રાજકોટ - નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ એક નિવેદન આપ્યું હતું. નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી આપી છે. ૨૦ લોકોને લગ્નવિધિ માટે પ્રાંત અધિકારીએ મંજૂરી આપી દેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ શરત એટલી માત્ર છે કે રાજકોટમાં કોઈ લગ્નમાં વરઘોડો, દાંડિયારાસ કે જમણવાર થઈ નહીં શકે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 02:09 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK