Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અનુરાગ કશ્યપ ખોટાડો છે, એની નાર્કો ટેસ્ટ કરો

અનુરાગ કશ્યપ ખોટાડો છે, એની નાર્કો ટેસ્ટ કરો

03 October, 2020 09:42 AM IST | Mumbai
Mumbai correspondent

અનુરાગ કશ્યપ ખોટાડો છે, એની નાર્કો ટેસ્ટ કરો

અનુરાગ કશ્યપ ખોટાડો  છે, એની નાર્કો ટેસ્ટ કરો

અનુરાગ કશ્યપ ખોટાડો છે, એની નાર્કો ટેસ્ટ કરો


બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષે દિગ્દર્શક અનુરાગ કશ્યપે આપેલા પોલીસ સ્ટેટમેન્ટ બદલ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અનુરાગ કશ્યપે પોલીસને ખોટી માહિતી આપી છે, એ પોલીસ સામે ખોટું બોલ્યો છે, તેની નાર્કો ટેસ્ટ કરાવો.
અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ સામે બળાત્કારની ફરિયાદ કરી છે, એ સંદર્ભે વર્સોવા પોલીસે અનુરાગ કશ્યપની ગુરુવારે આઠ કલાક પૂછપરછ કરી તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. એ પછી પાયલે ટ્વીટ કર્યું હતું કે અનુરાગે પોલીસને ખોટી માહિતી આપી છે. જ્યારે કે સામે પક્ષે અનુરાગ કશ્યપના વકીલે કહ્યું છે કે બળાત્કાર કરાયાનો આરોપ થયો છે એ વખતે અનુરાગ વિદેશ હતો એના પુરાવા અમે આપ્યા છે. પાયલ ઘોષે કહ્યું છે કે એ બધું જ ખોટું છે. પાયલે કહ્યું હતું કે ‘મિસ્ટર કશ્યપ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જુઠ્ઠું બોલે છે. મેં મારા વકીલને સત્ય જાણવા તેની નાર્કો એનાલિસિસ, લાઇવ ડિટેક્ટર અૅન્ડ પોલિગ્રાફી ટેસ્ટ કરવાની આજે અરજી કરવા કહ્યું છે. અમે આ અરજી આજે પોલીસ સ્ટેશનમાં કરીશું.’
અનુરાગ કશ્યપે દસ્તાવેજી પુરાવા આપતા જણાવ્યું હતું કે તેની જે વખતે (એપ્રિલ ૨૦૧૩) બળાત્કાર કરાયાનું કહેવાયું છે એ વખતે આખો મહિનો એ શ્રીલંકામાં ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 09:42 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK