રાળેગણ સિદ્ધિ (મહારાષ્ટ્ર): પોતાની ટીમ વિવાદોથી ઘેરાયેલી છે ત્યારે જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેએ ગઈ કાલથી આત્મશક્તિ માટે અનિશ્ચિત મુદત સુધીનું મૌનવ્રત ધારણ કર્યું છે. તેઓ પદ્માવતી મંદિરમાં પીપળાના ઝાડ નીચે બેસી ગયા છે. હઝારેના નિકટના સહયોગી દત્તા અવારીએ કહ્યું હતું કે ‘અણ્ણા આ સમય દરમ્યાન કુટિરમાં રહેશે. તેઓ કોઈને મળશે નહીં. તેમને અતિશય જરૂરી કહેવાનું હશે તો લેખિતમાં કહેવામાં આવશે.’
પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં જનમત લેવાના અને અરવિંદ કેજરીવાલના અણ્ણા સંસદથી પર છે એવાં નિવેદનોને લીધે ટીમ અણ્ણા મુશ્કેલીમાં આવી ગઈ છે. ઍક્ટિવિસ્ટ સ્વામી અગ્નિવેશે અણ્ણા પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘અણ્ણાના આંદોલનમાં કોઈ લોકશાહી નથી.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK