આ તો જનલોકપાલ બિલનો વિરોધ કરતી ચાર મેમ્બરની ગૅન્ગનું કાવતરું - અણ્ણા
પોતાની ટીમના વિવિધ મેમ્બરો સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અણ્ણાએ તેમનો પોતાના બ્લૉગમાં બચાવ કરતાં કહ્યું હતું કે ‘થોડા લોકોનો મંત્ર બીજાઓ પર આક્ષેપો કરવાનો અને તેમને અપમાનિત કરવાનો રહ્યો છે. આ વખતે કાંઈ પહેલી વાર કિરણ બેદી સામે આક્ષેપો નથી થયા. ચાર જણની એક ગૅન્ગ મારા દરેક મેમ્બર સામે આવા આક્ષેપો કરી રહી છે. આ લોકો કોણ છે? આ લોકો એ જ છે જેઓ જનલોકપાલ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો બિલ મંજૂર કરાવવા નથી માગતા. હું કૉન્ગ્રેસ પાર્ટીના બધા મિનિસ્ટરો કે આખી સરકારને દોષ નથી આપતો. સરકારમાં અમુક સારા લોકો છે, પરંતુ તેઓ આ ચાર જણની ટોળકી સામે અવાજ ઉઠાવી નથી શકતા.’