Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આંગણવાડી અધિકારીઓ અને બહેનોના ફોન બંધ આવતા CM રૂપાણી થયા લાલઘુમ

આંગણવાડી અધિકારીઓ અને બહેનોના ફોન બંધ આવતા CM રૂપાણી થયા લાલઘુમ

11 October, 2019 03:30 PM IST | Ahmedabad

આંગણવાડી અધિકારીઓ અને બહેનોના ફોન બંધ આવતા CM રૂપાણી થયા લાલઘુમ

વિજય રૂપાણી

વિજય રૂપાણી


Ahmedabad : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવે સિંઘમ બની ગયા છે. સિંઘમ સ્ટાઇલમાં તેમણે રાજ્યના સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનું આકસ્મિક ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગ રૂપે રૂપાણીએ પહેલા આંગણવાડી બહેનો અને અધિકારીઓને સંપર્ક કરાયો હતો, જેમાં તમામનો નંબર બંધ આવ્યો હતો. મુખ્યમંત્રીની મોબાઈલ રેડમાં તમામનો ફોન બંધ આવ્યો હતો. કર્મચારીઓના ફોન બંધ આવતા તેમણે કડક ચેતવણી આપી હતી. સ્ટેટ કન્ટ્રોલ રૂમ (State control room)  કાર્યરત થવા દરમિયાન મુખ્યમંત્રીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્ટેટ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું. ખુદ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરાવ્યું હતું. જે અંતર્ગત મહિલા અને બાળકો અંગે થતી કામગીરી પર સીધી નજર રાખવાનો છે
, જે માટે સ્ટેટ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંગણવાડીના કાર્યકર્તાઓ સામે મોબાઈલ રેડ પાડી હતી. મુખ્યમંત્રીએ સીધી જ વિભાગના અધિકારીઓ સાથે ગ્રામ્ય સ્તરે કરી ટેલિફોનિક વાત કરી હતી. તેમણે સૌથી પહેલા રાજકોટ જિલ્લાના આંગણવાડી કાર્યકર લીલાવતીબેનને ફોન જોડ્યો હતો. જેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યાર બાદ તેમણે ઉપરી સીડીપીઓ મુક્તાબેનને ફોન લગાવ્યો હતો, જેમનો ફોન પણ નો રિપ્લાય આવ્યો હતો. જેના બાદ મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ દરમિયાન આંગણવાડી બહેનો અને અધિકારીઓ ફોન બંધ ન રાખે તે માટે કડક ટકોર કરી હતી.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

મહત્વનું છે કે, સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓની કામગીરીમાં લોલમપોલ જોવા મળી રહી છે. જે માટે જ મુખ્યમંત્રી દ્વારા અચાનક મોબાઈલ રેડ પાડવામાં આવી હતી. જેમાં સાબિત થયું હતું કે, સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓ ફરજ દરમિયાન પણ શિસ્તતા જાળવી શક્તા નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 03:30 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK