આંધ્ર પ્રદેશમાં સવારે-સવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. કુરનૂલ જિલ્લાના વલ્દુરતી મંડળના મદારપુર ગામ પાસે બસ અને ટ્રકની ટક્કરમાં 14 લોકોનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનનું જણાઈ રહ્યું છે. જાણકારી મુજબ આ અકસ્માત સવારે 3.30 વાગ્યે થયો હતો. ઘાયલોને સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Andhra Pradesh: 13 people killed, 4 injured in a collision between a bus and a truck near Madarpur village in Veldurti Mandal, Kurnool district in the early morning hours; injured admitted to Government General Hospital pic.twitter.com/Ve1hHqTBkZ
— ANI (@ANI) February 14, 2021
અકસ્માત અંગેની માહિતી આપતાં વલ્દુરતીના સબ-ઈન્સ્પેક્ટર પેડ્ડૈયા નાયડુ અને કૃષ્ણગિરિના સબ-ઈન્સ્પેક્ટર રામજાનનેય રેડ્ડીએ એએનઆઈને જણાવ્યું કે, બસ ચિત્તૂર જિલ્લાના મદનપલ્લે ગામથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. બસ લગભદ 3.30 વાગ્યે મદારપુર ગામ પહોંચી. ખોટી દિશામાં જઈ રહેલી બસે બીજી તરફથી આવી રહેલા ટ્રકને ટક્કર મારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 17 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. ડ્રાઈવર સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને કુરનૂલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમ જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ કુરનૂલમાં થયેલા રોડ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને રાહત કાર્યા અને તબીબી સહાયવને ઝડપથી કરવા નિર્દેશ આપ્યો છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં
1st March, 2021 12:31 ISTલાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
1st March, 2021 12:28 ISTકોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 IST