અમિતાભના બંગલા નજીકથી પાટલા ઘોને બચાવવામાં આવી
સવારે અગિયાર વાગ્યે પાટલા ઘોને જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેમાંના કેટલાક લોકો લાકડી લઈને એને મારવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ પ્રાણીઓ માટે કામ કરતી ઍનિમલ્સ મૅટર ટુ મી નામની સંસ્થાના અંધેરીમાં રહેતા વૉલન્ટિયર સુશાંત જોશીને ફોન કરીને બોલાવી લીધો હતો. સુશાંતે સર્પમિત્ર રાજુ કોલીને બોલાવ્યો હતો. તેઓ બે કલાક મહેનત કરીને આખરે એ પાટલા ઘોને બહાર સુરક્ષિત કાઢવામાં સફળ થયા હતા. આવી જ એક પાટલા ઘોની મદદથી શિવાજીના સરદાર તાનાજી માલુસુરે અને તેમનું સૈન્ય કોંડાણાના કિલ્લા પર ચડી ગયાં હતાં. - તસવીર : સમીર માર્કન્ડે