ચંદ્રકાન્ત પાટીલે મુખ્ય પ્રધાન પદ બાબતે કહ્યું આ...
ફાઈલ તસવીર
જ્યારથી મહા વિકાસ આઘાડીની સરકાર બની છે એ પહેલાંથી બધા એક જ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બાળાસાહેબ ઠાકરેની રૂમમાં મુખ્ય પ્રધાનપદને લઈને શું ચર્ચા થઈ હતી? આ મુદ્દાને જ આગળ કરીને શિવસેનાએ બીજેપી સાથે છેડો ફાડ્યો હતો. સમયાંતરે બન્ને પક્ષ નવી-નવી વાતો વહેતી કરે છે એ જ શ્રૃખલામાં ગઈ કાલે મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે ‘મીટિંગ દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ સમક્ષ મુખ્ય પ્રધાનપદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એના અનુસંધાનમાં અમિતભાઈએ દેખતે હૈં કીધું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરે તેમના આ જવાબને હો એટલે કે અમિત શાહે હા પાડી એવું સમજી બેઠા હતા.’
હવે આગામી દિવસોમાં શિવસેના તરફથી આ બાબતે નવું સ્ટેટમેન્ટ બહાર આવે તો નવાઈ નહીં.