રાષ્ટ્રપતિ અને અન્ય દિગ્ગજોએ વડાપ્રધાનને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો આજે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)થી લઇને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથસિંહ (Rajnath Singh), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય મોટા નેતાઓએ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. તમે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકશાહી પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તેમજ રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.'
ADVERTISEMENT
प्रधानमंत्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। आपने भारत के जीवन-मूल्यों व लोकतांत्रिक परंपरा में निष्ठा का आदर्श प्रस्तुत किया है। मेरी शुभेच्छा और प्रार्थना है कि ईश्वर आपको सदा स्वस्थ व सानन्द रखे तथा राष्ट्र को आपकी अमूल्य सेवाएं प्राप्त होती रहें।
— President of India (@rashtrapatibhvn) September 17, 2020
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે, 'રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના. મોદી જીના રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું જેમાં લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારાથી જોડ્યાં અને એક મજબૂત ભારતનો પાયો નાંખ્યો.'
राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित देश के सर्वप्रिय नेता प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) September 17, 2020
मोदी जी के रूप में देश को एक ऐसा नेतृत्व मिला है जिसने लोक-कल्याणकारी नीतियों से वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ा और एक मजबूत भारत की नींव रखी।
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે, હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું.'
Greetings and warm wishes to PM Shri @narendramodi on his birthday. India has benefited tremendously from his astute leadership, firm conviction &decisive action. He has been working assiduously towards empowering the poor & marginalised. Praying for his good health and long life
— Rajnath Singh (@rajnathsingh) September 17, 2020
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, 'પ્રધાનમંત્રી મોદી જી ને જન્મદિવસની શુભેચ્છા.'
Wishing PM Narendra Modi ji a happy birthday.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2020
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વવિટ કરી વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી. યોગીએ લખ્યું હતું કે, 'અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના.'
अंत्योदय से राष्ट्रोदय की संकल्पना को साकार करते यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2020
प्रभु श्री राम की कृपा से आप,इसी प्रकार 'एक भारत-श्रेष्ठ भारत' के दिव्य ध्येय की ओर बढ़ते हुए माँ भारती को गौरवभूषित करते रहें।
दीर्घायुरारोग्यमस्तु। सुयश: भवतु। pic.twitter.com/MZoorGxRfk
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વિટરમાં લખ્યું કે, 'ગુજરાતના સપૂત મહાનાયક, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને તમામ ગુજરાતીઓ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનીને પુનઃ વિશ્વગુરુ બનશે. ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ધાયુ જીવનની મંગળકામનાઓ.'
गुजरात के सपूत, महानायक, यशस्वी प्रधानमंत्रीश्री @narendramodi जी को सभी गुजरातियों की ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएँ ।
— Vijay Rupani (@vijayrupanibjp) September 17, 2020
मुझे पुरा विश्वास है कि आपके नेतृत्व में भारत आत्मनिर्भर बनकर पुनः विश्वगुरु बनेगा।
उत्तम स्वास्थ्य व दीर्घायु जीवन की मंगलकामनाएँ ।#HappyBdayNaMo
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા લખ્યું હતું કે, 'આપને હેપી બર્થ ડે મોદી સર. હું આપના સ્વાસ્થ્યની કામન કરું છું.'
.@narendramodi Wishing you a very happy birthday Sir. I pray for your long and healthy life.
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 17, 2020
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદીના જન્મદિવસ પર કહ્યું કે, 'મોદીજીએ સમાજ માટે જીવનના પળ-પળ લગાવ્યા છે. તેઓએ સમાજને એક દિશા પણ આપી છે અને દૃષ્ટી પણ આપી છે. તેમનું કાર્ય આપણને પ્રોત્સાહિત કરે છે.'
देश को प्रगति के पथ पर अग्रसर कर विश्वपटल पर 'भारतवर्ष' के मान-सम्मान को बढ़ाने वाले जननायक, आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस पर उन्हें हार्दिक शुभकामनाएं। व्यक्ति निर्माण से लेकर राष्ट्रनिर्माण के लिए समर्पित आपका जीवन हम सभी के लिए प्रेरणास्रोत है। pic.twitter.com/LXGnATiuTd
— Jagat Prakash Nadda (@JPNadda) September 17, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને 2014 સુધી તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા. ત્યારબાદ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા.