Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લાઈટના આઠથી દસ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે?

ફ્લાઈટના આઠથી દસ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે?

28 October, 2020 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફ્લાઈટના આઠથી દસ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવાથી પાલિકા અને રાજ્ય સરકાર વિવિધ પગલા લઈ રહી છે એવામાં એરપોર્ટમાં પણ કોવિડ-19 ટેસ્ટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યુ છે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં કોવિડ ટેસ્ટની સુવિધા રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત 3340 પ્રવાસીઓનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે જેમાં 2930 પુરુષો અને 400 મહિલાઓનો સમાવેશ છે. સરેરાશ 100 પ્રવાસીઓનું ટેસ્ટ દરરોજ કરવામાં આવી રહ્યુ છે. અત્યારસુધી આ સુવિધા વિદેશથી મુંબઈ આવનાર પ્રવાસીઓ માટે હતી.



જોકે હવે વિદેશ જનારા અને તેમ જ જે લોકો પ્રવાસીઓને મૂકવા માટે આવે છે તે લોકો પણ ટેસ્ટ કરાવી શકશે. પ્રવાસીઓને રિપોર્ટ આઠ કલાક બાદ મળશે, તેથી પ્રવાસીઓએ આઠથી 12 કલાક પહેલા એરપોર્ટમાં આવવુ પડશે.


તેમ જ એરપોર્ટમાં આરટી-પીસીઆર ટેસ્ટ પર શરૂ કરવામાં આવી છે. પહેલા આ સુવિધા ‘વંદે ભારત’ અભિયાન અંતર્ગત આવનારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હતી. જોકે હવે આ સુવિધાને વિસ્તારીને મુંબઈની બહાર જનારા દરેક નાગરિકો માટે આ ટેસ્ટની સુવિધા એરપોર્ટમાં કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK