Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવાશે : વિજય રૂપાણી

ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવાશે : વિજય રૂપાણી

26 February, 2021 11:01 AM IST | Ahmedabad

ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવાશે : વિજય રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણી


ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવવા માટે ગુજરાત સરકારે કમર કસી છે અને આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદના મુદ્દે બિલ લાવવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રચારકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગોધરામાં જાહેર સભાને સંબોધી હતી.

આ દરમ્યાન મીડિયા સાથે વાત કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘અલગ-અલગ ધર્મના લોકો કોઈ પણ બીજા ધર્મમાં દીકરી સાથે પ્રેમથી લગ્ન કરવા માગતા હોય તો એ અંગેના કાયદા કડક બનાવવામાં આવશે. લાલચથી, ફોસલાવીને, ધર્મપરિવર્તન અને એના આધાર પર લવ જેહાદનું દૂષણ ફેલાયું છે એને અટકાવવામાં આવશે. ગુજરાતમાં પણ લવ જેહાદનો અમે કડકમાં કડક કાયદો બનાવીશું અને એનું બિલ આગામી સત્રમાં લાવવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 11:01 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK