ગુજરાત વિધાનસભાના સસ્પેન્ડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી બીમારીના કારણે નિધન થયું છે. તેમના આદિવાસી પ્રમાણપત્રને બનાવટી ગણાવતાં તેમની વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાની મોરવા હડપ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકેની ચૂંટણીમાં વિજેતા બનેલા ભૂપેન્દ્રસિંહ ખાંટનું અવસાન થયું છે. સારવાર માટે તેમને મોરવા હડપથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
સસ્પેન્શન પાછું ખેંચવાની કરી હતી અપીલ
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ખાંટનું વિધાનસભાનું સભ્યપદ રદ્દ કર્યું હતું. ભાજપે તેમના આદિજાતિ પ્રમાણપત્રને બનાવટી ગણાવતાં અધ્યક્ષ સમક્ષ અરજી કરી હતી. ખાંટે આ બાબતે રાજ્યપાલ ભવનને અપીલ કરી હતી, પરંતુ રાજ્યપાલે પણ તેમનું સભ્યપદ ખતમ કરવાનો નિર્ણયને સ્વીકાર્યો. ખાંટના સભ્યપદ અંગે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય અમને એક અરજી પણ કરી હતી. કેન્દ્રીય સરકારે જાહેર કરેલા એક પત્રના આધારે ખાંટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓ નામંજૂર થયા હતા.
દસ્તાવેજોના આધારે આપેલ આ દલીલ
કેન્દ્ર સરકારે કેટલાક પરિપત્રોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ આદિવાસી મહિલાની સંતાનનો જન્મ તથા ઉછેર માતાના પિયરપક્ષમાં થાય છે તો એવા બાળકનું આદિવાસી પ્રમાણ પત્ર બનાવી શકાય છે પછી ભલે એના પિતા ગેરઆદિવાસી હોય. ખાંટના મામલામાં રાજ્ય સરકારનો દાવો હતો કે ભૂપેન્દ્રના જન્મ બાદ પોતાના પિતા સાથે રહેતા હતા, જ્યારે કેટલાક દસ્તાવેજોના આધારે આ દલીલ આપી હતી કે તેઓ પોતાની માતાના પિયરમાં રહે છે તેમના પ્રારંભિક શિક્ષણની દીક્ષામાં ઉછેર પણ નાનીના ઘરે જ થયો હતો.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTગુજરાતના બજેટમાં બુલેટ ટ્રેન માટે 1500 કરોડની ફાળવણી
4th March, 2021 10:00 ISTવડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
4th March, 2021 10:00 ISTWomen’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
3rd March, 2021 16:05 IST