Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ કિડની હૉસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદીનું અવસાન

અમદાવાદ કિડની હૉસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદીનું અવસાન

02 October, 2019 04:19 PM IST | અમદાવાદ

અમદાવાદ કિડની હૉસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદીનું અવસાન

પદ્મશ્રી સન્માન સ્વીકારતા એચ. એલ. ત્રિવેદી(ફાઈલ તસવીર)

પદ્મશ્રી સન્માન સ્વીકારતા એચ. એલ. ત્રિવેદી(ફાઈલ તસવીર)


અમદાવાદના જાણીતા નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉક્ટર એચ. એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. બપોરે અઢી વાગ્યા આસપાસ તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુના પ્રાંગણમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.

એચ. એલ. ત્રિવેદીનું આખું નામ ડૉ.હરગોવિંદદાસ લક્ષ્મીદાસ ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતા. શરૂઆતમાં તેણે બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઈને વસી ગયા હતા.પરંતુ તેમને ત્યાંથી વતનની યાદ આવી અને તેઓ ફરી દેશ પરત ફર્યા. જે બાદ તેમણે અમદાવાદ આવી સિવિલ હૉસ્પિટલમાં કિડની હૉસ્પિટલની શરૂઆત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 04:19 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK