Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ અખાત્રીજે સોનાના સારા વેચાણની ઝવેરીઓને આશા

અમદાવાદઃ અખાત્રીજે સોનાના સારા વેચાણની ઝવેરીઓને આશા

02 May, 2019 12:25 PM IST | અમદાવાદ

અમદાવાદઃ અખાત્રીજે સોનાના સારા વેચાણની ઝવેરીઓને આશા

અખાત્રીજે સોનાના સારા વેચાણની આશા

અખાત્રીજે સોનાના સારા વેચાણની આશા


સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જો કે તેમ છતાં અમદાવાદના ઝવેરીઓને આશે છે કે અખાત્રીજના દિવસે સોનાનું સારું વેચાણ થશે. અખાત્રીજનો દિવસ સોનાની ખરીદી માટે શુભ ગણવામાં આવે છે. જેના માટે અત્યારથી જ ઝવેરીઓ સોનાનો સંગ્રહ કરવા લાગ્યા છે. એપ્રિલ મહિનામાં સોનાની આયાતમાં વધારો થયો છે.

અખાત્રીજની વેપારીઓને રાહ
સોનાના વેપારીઓ અખાત્રીજની રાહ જોઈ રહ્યા છે અને તેની તૈયારી પણ કરી લીધી છે. અક્ષય તૃતિયાના દિવસે બમ્પર ખરીદી થાય છે. જેને લઈને વેપારીઓએ એપ્રિલ મહિનામાં જ્યારે સોનાના ભાવ ઘટ્યા ત્યારે સોનીઓએ મોટા પ્રમાણમાં સોનું ખરીદી લીધું હતું.

ગયા વર્ષ કરતા વધ્યા ભાવ
ગયા વર્ષે અખાત્રીજે ગુજરાતમાં 200 કિલો સોનું વેચાયું હતું. એ સમયે સોનાની કિંમત 10 ગ્રામના 32, 350 રૂપિયા હતી. જ્યારે બુધવારે સોનાની કિંમત 32, 800 રૂપિયા એક તોલાની છે.

આ પણ વાંચોઃ અમેરિકી ડૉલર બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટાડો નોંધાયો



લગ્નસરાના કારણે વધશે ખરીદી
રાજ્યમાં સોનાની ખરીદીના ટ્રેન્ડની વાત કરીએ તો , આ વર્ષે લગ્નો વધારે હોવાના કારણે સોનાની ખરીદી વધી રહી છે. વૈશાખ મહિનામાં ઘણા બધા લગ્નો છે. જેથી સોની વેપારીઓને વેચાણ વધવાની આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 12:25 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK