અમદાવાદ: પ્રહલાદનગરના ટિમ્બર પોઈન્ટ કોમ્પલેક્ષમાં આગ
ટિમ્બર પોઈન્ટ કોમ્પલેક્ષમાં આગ (ગોવિંદ પિિસ્કા)
અમદાવાદના પ્રહલાદનગરના ટિંમ્બર પોઈન્ટ કોમ્પલેક્ષમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતાની સાથે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટિંમ્બર પોઈન્ટ કોમ્પલેક્ષના ભોયરામાં આગ લાગતાની સાથે દૂર સુધી ધુમાડા ઉડ્યા હતા. આગના સમાચાર સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું કામ હાથ ધરાયું હતું. હાલ લાગવાનું કારણ અકબંધ છે. જો કે લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટિંમ્બર પોઈન્ટના ભોયરામાં આગ લાગતાની સાથે કોમ્પ્લેક્ષની અંદરના લોકોને કોમ્પલેક્ષના ઉપરના માળે સલામત ખસેડાયા હતા અને ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા લોકોને બહાર કઢાયા હતા.
આગની માહિતીની સાથે જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવાયો છે. રાહતની વાત એ રહી હતી આગના કારણે કોઈ જાનહાનિ થઈ હતી નહી. કોમ્પ્લેક્ષમાં ફસાયેલા તમામ લોકો હાલ સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે આગના સમાચાર સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી હતી અને આગના કારણ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વાયુ ચક્રવાતને કારણે સોમનાથ મંદિરમાં આવો છે માહોલ, જુઓ વીડિયો
હાલમાં જ થોડા સમય પહેલા સુરતમાં આગના કારણે 22 કિશોર બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરતમાં આગના કારણે ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ થોડા સમય પણ પહેલા આગનો બનાવ સામે આવ્યો હતો.